જમ્મુ-કાશ્મીરમાં ૩ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા

27 May, 2022 11:27 AM IST  |  Srinagar | Agency

કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તય્યાબાના હતા.

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ ગઈ કાલે ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હતી અને લશ્કર-એ-તય્યબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ વિશે ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા, જેના પગલે આર્મી અને પોલીસે આ આતંકવાદીઓને આંતર્યા હતા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આ ત્રણેય આતંકવાદીઓ ઠાર મરાયા હતા. કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તય્યાબાના હતા.

national news jammu and kashmir srinagar