16 મેથી શરૂ થશે 2021ની જનગણના, યૂપીમાં 30 જૂન સુધી ચાલશે અભિયાન...

20 November, 2019 05:26 PM IST  |  Mumbai Desk

16 મેથી શરૂ થશે 2021ની જનગણના, યૂપીમાં 30 જૂન સુધી ચાલશે અભિયાન...

વર્ષ 2021ની જનગણના આવતાં વર્ષે 16 મેથી શરૂ થઈ જશે. ઉત્તર પ્રદેશમાં જનગણનાનો પહેલો ચરણ 16 મેથી શરૂ થશે અને આ અભિયાન 30 જૂન 2020 સુધી ચાલશે. આ દરમિયાન લગભગ પાંચ લાખ કર્મચારી જનગણના માટે મોબાઇલ એપનો પણ ડ્યૂટી પર તહેનાત હશે. મોટી વાત એ છે કે આ વખતે જનગણના માટે મોબાઇલ એપનો પણ ઉપયોગ કરવામાં આવશે.

યૂપીમાં 16મેથી શરૂ થશે પહેલું ચરણ

ઉત્તર પ્રદેશમાં જનગણના 2021ના પહેલા ચરણનું કામ શરૂ કરાવવાની પ્રશાસને સીચના આપી દીધી છે. આ અધિસૂચના આપી દેવામાં આવી છે. આ અધિસૂચના સચિવ ડૉક્ટર હરિઓમે જારી કરી છે. અધિસૂચનામાં જિલાધિકારીઓથી કર્મચારિઓને ડ્યૂટી પર લગાડવા માટે કહેવામાં આવ્યું છે. જનગણનાના પહેલા ચરણનું કાર્ય 16 મેથી 30 જૂન 202 દરમિયાન કરવામાં આવશે.

એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી થશે હાઉસ-લિસ્ટિંગ
લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે જનગણના 2021 આ વખતે 16 ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું, "જનગણના 2021ના ડેટા સંગ્રહ માટે એક મિક્સ મોડ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવી રહ્યો છે. જનગણના બે ચરણોમાં આયોજિત કરવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી હાઉસ-લિસ્ટિંગ અને હાઉસિંગ જનગણના હશે. આના પછી 9થી 28 ફેબ્રુઆરી 2021 દરમિયાન જનસંખ્યાની ગણના થશે."

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

લગભગ 8 હજાર 754 કરોડનો આવશે ખર્ચ
નિત્યાનંદ રાયે કહ્યું કે જનગણના 2021 આયોજિત કરવા માટે લગભગ 8 હજાર 754 કરોડનો ખર્ચ આવશે. તેમણે એ પણ જણાવ્યું કે ગણના કરતાં અધિકારી મોબાઇલ એપનો ઉપયોગ કરીને પણ ડેટા જમા કરી શકે છે.

national news uttar pradesh