25 November, 2020 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પંજાબના લુધિયાનાના મયુર વિહાર વિસ્તારમાં એક ઘરમાં ચાર લોકોનો મૃતદેહ મળતા આખા વિસ્તારમાં સનસની ફેલાઈ છે. તપાસ બાદ ખબર પડી કે એક બિલ્ડરે તેની પત્ની, છોકરા, છોકરી, વહુ અને 13 વર્ષના પૌત્રને કુહાડીથી મારી નાખ્યો હતો. મૃત્યુના થોડાક સમય પહેલા છોકરાએ સંપૂર્ણ ઘટના તેના મામાને ફોન કરીને કહી હતી. મામા સાથે છેલ્લી જે વાતચીત થઈ એ સાંભળીને આપણે રડી પડીએ અવી દર્દનાક હતી.
13 વર્ષના આ બાળકે કુટુંબના દરેક સભ્યની મોત પોતાના આંખથી જોઈ હતી. જ્યારે બિલ્ડર રાજીવ સુંડા તેની વહુ ગરિમાને મારી રહ્યો હતો ત્યારે આ છોકરાએ તેના મામાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલનું પણ કહેવુ છે કે જ્યારે વહુ ઉપર હૂમલો થયો હતો ત્યારે આ છોકરાએ મામાને ફોન કર્યો હતો. ત્યારબાદ ગૌરવ અને તેના પિતા અશોક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ પહોંચે તે પહેલા જ પરિવારના દરેક સભ્યોનું મોત થયુ હતું.
પોલીસ આરોપી રાજીવને શોધી રહી છે. તેને પકડ્યા બાદ જ સમગ્ર ઘટના વિગતવાર સમજાશે. પાડોશીઓનું કહેવું છે કે રાજીવ સુંડાનું કુટુંબ પોતે ઘરની બહાર નીકળતુ નહોતુ તેમ જ બાળકને પણ ઘરની બહાર જવા દેતા નહોતા. આસપાસના બાળકોને પણ ખબર નથી કે આ ઘરનું બાળક કંઈ સ્કૂલમાં ભણે છે. લૉકડાઉન દરમિયાન ફક્ત એક જ દિવસ પાડોશીએ આ બાળકને જોયો હતો.