ચૂંટણીનાં પરિણામોની સચોટ આગાહી કરીને ૨૧ લાખ રૂપિયા રોકડા લઈ​ જાઓ

26 April, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનો જ્યોતિષીઓને પડકાર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (MANS)એ દેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોની સચોટ આગાહી કરીને ૨૧ લાખ રૂપિયા લઈ​ જવાનો ઍસ્ટ્રોલૉજર્સને પડકાર ફેંક્યો છે.

આગાહી કરનારાઓ, ભવિષ્યવેત્તાઓ અને ઍસ્ટ્રોલૉજર્સ ચૂંટણીનાં પરિણામોની આગાહી કરે છે, પરંતુ એનાથી મતદારો પર પ્રભાવ પડે છે અને ઉમેદવારો ગેરમાર્ગે દોરવાય છે એટલે મતદારોમાં જાગૃતિ લાવવાનો નિર્ણય સંસ્થાએ કર્યો છે એમ જણાવીને MANSના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ‘પડકાર ઝીલનારા ઍસ્ટ્રોલૉજર્સને અમુક પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોમાં મહત્ત્વના ઉમેદવારોને કેટલા મત મળશે, કોઈ એક ચોક્કસ મતદારક્ષેત્રમાંથી કોણ વિજયી થશે, કયા ઉમેદવારને સૌથી ઓછા મત મળશે અને કયો પક્ષ કેટલી બેઠકો સાથે ચૂંટણીમાં વિજયી થશે એનો સમાવેશ થાય છે. ઍસ્ટ્રોલૉજર્સે પોતાના તર્ક પાછળ કારણ પણ આપવાનું રહેશે.’

MANSએ જણાવ્યું હતું કે આ પડકાર રાજકીય નિષ્ણાતો માટે નથી.

Lok Sabha Election 2024 mumbai mumbai news maharashtra maharashtra news