અમિત શાહ બુધવારે ઉદ્ધવ ઠાકરેને મળશે કે નહીં?

28 October, 2019 12:11 PM IST  |  મુંબઈ

અમિત શાહ બુધવારે ઉદ્ધવ ઠાકરેને મળશે કે નહીં?

અમિત શાહ

બીજેપીના અધ્યક્ષ બુધવારે મુંબઈમાં નવા ચૂંટાયેલા બીજેપીના વિધાનસભ્યોની સાથે મીટિંગ હાથ ધરવાના છે. મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન કોણ બનશે એ વિશે અવઢવ ચાલી રહ્યો છે ત્યારે શું અમિત શાહ ઉદ્ધવ ઠાકરેને મળશે કે નહીં એવો પ્રશ્ન રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ ઑક્ટોબરે મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ મહારાષ્ટ્રની રાજગાદી કોના હાથમાં રહેશે એ વિશે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે ૩૦ ઑક્ટોબરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની જાહેરાત કરવા માટે અમિત શાહ આવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
બીજેપીના વિધાન પરિષદના સભ્ય ગિરીશ વ્યાસે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘બુધવાર ૩૦ ઑક્ટોબરે મુંબઈમાં બીજેપીના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની ગૃહના નેતાની ચૂંટણી માટેની બેઠકમાં હાજરી આપ્યા પછી પક્ષના પ્રમુખ અમિત શાહ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કદાચ મળે એવી શક્યતા છે. એ બેઠકમાં બીજેપીના મહારાષ્ટ્રનો અખત્યાર સંભાળતા સચિવ સરોજ પાંડે પણ હાજર રહેશે.’
ગિરીશ વ્યાસના ‘મળવાની શક્યતા’ના ઉલ્લેખને પગલે મહારાષ્ટ્રના બે મિત્રપક્ષોના નેતાઓની મુલાકાતની નિશ્ચિતતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે.

uddhav thackeray amit shah