23 March, 2026 07:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેએ વેકેશનમાં વતન અથવા ફરવા જતા મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે બાંદરા ટર્મિનસથી ગુજરાતનાં અનેક શહેરો માટે સ્પેશ્યલ ટ્રેનોની જાહેરાત કરી છે. આ સેવાઓ બીજી એપ્રિલથી ૩૧ જુલાઈ દરમ્યાન ચાલશે જે મુંબઈને ભાવનગર, ગાંધીધામ, ભુજ, વેરાવળ અને ઉધના સાથે જોડશે. પીક સીઝન દરમ્યાન મુસાફરીને સરળ બનાવવા માટે આ રૂટ પર આ સ્પેશ્યલ ટ્રેનો સાથે અનેક ટ્રેનોનું ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રેન નંબર ૦૯૨૦૭ ૩ એપ્રિલથી ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી બાંદરા ટર્મિનસ અને ભાવનગર વચ્ચે દોડશે.
ટ્રેન નં. ૦૯૪૧૫ બીજી એપ્રિલથી ૩૦ જુલાઈ સુધી બાંદરા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે દોડશે.
ભુજ માટે ૩ ટ્રેન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે.
ટ્રેન નં. ૦૯૦૩૭ ૩ એપ્રિલથી ૩૧ જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નં. ૦૯૦૦૯ પાંચમી એપ્રિલથી ૨૬ જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નં. ૦૯૦૧૧ ૭ એપ્રિલથી ૨૮ જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નંબર ૦૯૦૧૭ ૫ એપ્રિલથી ૨૬ જુલાઈ સુધી બાંદરાથી વેરાવળ વચ્ચે દોડશે.
ઉધના માટે, મુંબઈ અને શહેર વચ્ચે બે ખાસ ટ્રેનસેવાઓ શરૂ કરવામાં આવી છે.