શિવસેનાના પ્રધાને રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં કૉન્ગ્રેસ રોષે ભરાઈ

08 May, 2021 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા (ઈસ્ટ)માં ગુરુવારે શરૂ કરાયેલા આ રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબ દ્વારા કરવામાં આવ્યું હતું

અનિલ પરબ

શિવસેના અને કૉન્ગ્રેસ બન્ને રાજ્યની સરકારમાં સત્તામાં ભાગીદાર હોવા છતાં શિવસેનાના પ્રધાન દ્વારા તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં કોવિડ-19 વૅક્સિન સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ ન મળતાં કૉન્ગ્રેસના પ્રધાને ગઈ કાલે  વિરોધ નોંધાવ્યો હતો.

બાંદરા (ઈસ્ટ)માં ગુરુવારે શરૂ કરાયેલા આ રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબ દ્વારા કરવામાં આવ્યું હતું. કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઝશીન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘મારા જ મતદારક્ષેત્રમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું હતું અને મને જ આમંત્રિત નહોતો કરાયો. રસી પર પણ આપણે રાજકારણ કરી રહ્યા છીએ કે શું?’

coronavirus covid19 mumbai mumbai news shiv sena congress bandra