લાલબાગચા રાજાના દર્શન કર્યા અમેરિકન રાજદૂતે, અહીંની ઉર્જા અદ્ભૂત છે- સર્જિયો ગોર

15 September, 2026 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગણેશ ચતુર્થીના અવસર પર અમેરિકી રાજદૂત સર્જિયો ગોર મુંબઈ પહોંચ્યા અને પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કર્યા. મુલાકાત દરમિયાન તેમણે ગણપતિના ચરણ સ્પર્શ પણ કર્યા, જેનો એક વીડિયો સામે આવ્યો છે.

લાલબાગચા રાજા (ફાઈલ તસવીર)

ગણેશ ચતુર્થીના અવસર પર અમેરિકી રાજદૂત (American Ambassador) સર્જિયો ગોર મુંબઈ (Mumbai) પહોંચ્યા અને પ્રખ્યાત લાલબાગચા રાજાના (Lalbaugcha Raja) દર્શન કર્યા. મુલાકાત દરમિયાન તેમણે ગણપતિના ચરણ સ્પર્શ પણ કર્યા, જેનો એક વીડિયો સામે આવ્યો છે. સોમવારે દેશભરમાં ૧૧ દિવસીય ગણેશ ઉત્સવનો ભારે ઉત્સાહ સાથે પ્રારંભ થયો. મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈમાં, ભક્તોએ ઢોલ અને તુરાઈના તાલ વચ્ચે ભગવાન ગણેશની પૂજા કરી ત્યારે રસ્તાઓ "ગણપતિ બાપ્પા મોર્યા" ના નાદથી ગુંજી ઉઠ્યા. દર વર્ષની જેમ મુંબઈમાં લાલબાગ પણ ગણેશોત્સવનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ સંદર્ભમાં, ભારતમાં (Bharat) અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) અવસર પર લાલબાગચા રાજા (લાલબાગના ગણપતિ) ની મુલાકાત લીધી અને પૂજા કરી.

સર્જિયો ગોરે ગણપતિના ચરણ સ્પર્શ કર્યા

મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરતી વખતે, સર્જિયો ગોરે પણ ગણપતિના ચરણ સ્પર્શ કર્યા. દર્શન કર્યા પછી, તેમણે પોતાનો અનુભવ શેર કર્યો. સર્જિયો ગોરે કહ્યું, "આ ખરેખર અદ્ભુત છે. મને અહીં આવવાનો ગર્વ છે. આમંત્રણ મળવું ખૂબ જ સારું લાગે છે. મને લાગે છે કે દરેક વ્યક્તિએ તેને જોવા આવવું જોઈએ, કારણ કે આવી ગતિશીલ જગ્યાઓ બહુ ઓછી છે. અહીંની ઉર્જા અદ્ભુત છે. જો તમે અહીં ન ગયા હોવ, તો તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેથી જો તમે અહીં ન ગયા હોવ, તો ચોક્કસ આવો."

તેમના સત્તાવાર હેન્ડલ પર એક ટ્વિટમાં, યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે કહ્યું, "મુંબઈચા રાજા અને લાલબાગચા રાજાની મુલાકાત લઈને મને ખરેખર આનંદ થયો. તેઓ શ્રદ્ધા અને સમુદાયનું જીવંત પ્રતીક છે જે દરેકને એકસાથે લાવે છે. ગણેશ ચતુર્થી ઉજવતા દરેકને શુભકામનાઓ." મુંબઈમાં અંબાણી પરિવારે પણ તેમના નિવાસસ્થાને ગણેશ પૂજાની ઉજવણી કરી. આ પ્રસંગ સ્ટાર્સથી ભરેલો હતો. સલમાન ખાન, વિકી કૌશલ અને કેટરિના કૈફ સહિત ઘણી હસ્તીઓ અંબાણી નિવાસસ્થાને હાજર રહી હતી.

પીએમ મોદી પીયૂષ ગોયલના ઘરની મુલાકાતે ગયા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગણપતિ દર્શન માટે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના નિવાસસ્થાને પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રી ગણેશ દરેકને આશીર્વાદ આપતા રહે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આજે મારા નિવાસસ્થાને ગણપતિ પૂજા દરમિયાન તમારી હાજરી મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ભાગ્યની વાત છે. અવરોધો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશ દરેકના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરે અને તેમના આશીર્વાદ રાખે અને આપણો દેશ વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધે, એ મારી ઇચ્છા છે."

lalbaugcha raja lalbaug united states of america mumbai mumbai news maharashtra maharashtra news ganesh chaturthi festivals