23 September, 2021 08:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
થાણે જિલ્લામાં હત્યાના કેસમાં દોષિત જાહેર થયા બાદ એક આરોપીએ સરકારી વકીલ પર હુમલો કર્યો હતો, એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. આ ઘટના કલ્યાણ ખાતે એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં બની હતી.
કોર્ટે બુધવારે આકાશ રાજુ તાવડેને 2016ના હત્યા કેસમાં દોષી ઠેરવ્યો હતો અને 29 સપ્ટેમ્બરે તેને સજા સંભળાવવામાં આવશે તેવી માહિતી આપી હતી.
આ સાંભળીને, તાવડેએ એડિશનલ સરકારી વકીલ પર પ્રહાર કર્યો હતો, એમ તેમણે કહ્યું.
અધિકારીએ કહ્યું કે, “તેણે સરકારી વકીલ સાથે દુર્વ્યવહાર કરતા કહ્યું કે, આ માત્ર એક ટ્રેલર હતું, ચિત્ર હજુ પૂરું થયું નથી, હું તને સમાપ્ત કરીશ.”
કોર્ટરૂમમાં હાજર પોલીસ કર્મચારીઓ અને વકીલોએ તાવડે પર કાબૂ મેળવ્યો હતો.
અધિકારીએ ઉમેર્યું કે, IPCની કલમ 353 (જાહેર સેવકને ફરજ નિભાવવામાં રોકવા માટે હુમલો) હેઠળ એક નવો કેસ નોંધવામાં આવ્યો હતો.