શિવસેના ઠાકરેની થશે કે શિંદેની? ચિહ્ન ને નામ મુદ્દે કોર્ટ 12 તારીખે કરશે સુનાવણી

08 October, 2025 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે, પાર્ટીના નિયંત્રણ અને ઓળખને લઈને મહિનાઓથી વિવાદમાં ફસાયેલા છે. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટની નજરમાં છે. બુધવારે, ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચ 12 નવેમ્બરે સુનાવણી કરશે.

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે (તસવીર: મિડ-ડે)

મહારાષ્ટ્રના રાજકારણ માટે એક સૌથી મોટા મુદ્દે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે તેવી શક્યતા છે. કારણ કે બુધવારે સુપ્રીમ કોર્ટે શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્ન પરના દાવા અંગેના કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનો ઉલ્લેખ કરીને વહેલી સુનાવણીની માગ કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલાની સુનાવણી હવે 12 નવેમ્બરે થશે. ઠાકરે જૂથ દ્વારા ઉદ્ધવ ઠાકરેની વહેલી સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ જાન્યુઆરીમાં યોજાવાની છે, જેના કારણે ઝડપી નિર્ણય લેવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે, પાર્ટીના નિયંત્રણ અને ઓળખને લઈને મહિનાઓથી વિવાદમાં ફસાયેલા છે. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટની નજરમાં છે. બુધવારે, ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે 12 નવેમ્બરે સુનાવણી નક્કી કરી છે. કપિલ સિબ્બલે કોર્ટને વિનંતી કરી હતી કે રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ જાન્યુઆરી 2026 માં યોજાવાની છે, અને મૂંઝવણ ટાળવા માટે આ વિવાદ પર સ્પષ્ટતા જરૂરી છે.

આ મામલો ચૂંટણી પંચના નિર્ણય સાથે સંબંધિત છે, જેમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને ‘સાચી શિવસેના’ તરીકે માન્યતા આપવામાં આવી હતી અને શિંદે જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક, ધનુષ્ય અને તીર ફાળવવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઠાકરે જૂથે દલીલ કરી હતી કે કમિશને તથ્યો અને પાર્ટીના વાસ્તવિક માળખાને અવગણ્યું છે. ઉદ્ધવ ઠાકરેની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચે પાર્ટીના બંધારણ અને આંતરિક નિયમોને અવગણીને ખોટો નિર્ણય લીધો છે. દરમિયાન, શિંદે જૂથે દલીલ કરી હતી કે તેમને પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદોનો ટેકો છે, અને તેથી તેઓ વાસ્તવિક શિવસેના છે. સુપ્રીમ કોર્ટ આગામી 12 નવેમ્બરે આ કેસની સુનાવણી કરશે.

ઉદ્ધવ ઠાકરે વરસતા વરસાદમાં વરસ્યા નરેન્દ્ર મોદી અને BJP પર

શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરંપરાગત રીતે શિવાજી પાર્કમાં ઊજવાતા દશેરા મેળાવડામાં તેમના સમર્થકોને સંબોધતી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP), હાલની રાજ્ય સરકાર અને વડા પ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે ખેડૂતોને કર્જમાફી આપી હતી.

શિંદેનો ઉદ્ધવ પર પ્રહાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાહુલ ગાંધીના આ બયાન પર ઉદ્ધવ ઠાકરેની ચુપકીદી પર તીખો હુમલો કરતાં કહ્યું હતું કે ‘શું આ જ તમારું હિન્દુત્વ છે? અગર બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો એવું બયાન સ્વીકાર કરનારાઓને ઊલટા લટકાવીને મરચું નાખી દેત. ઉદ્ધવ ડુપ્લિકેટ હિન્દુ છે. અસલી શિવસેના બાળાસાહેબની વિચારધારા પર ચાલે છે, ગઠબંધનની મજબૂરી પર નહીં.’

shiv sena uddhav thackeray kapil sibal eknath shinde supreme court maharashtra news political news