સંજય રાઠોડને રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે: સંજય રાઉત

28 February, 2021 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય રાઠોડને રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે: સંજય રાઉત

સંજય રાઠોડ

ટિક ટૉક સ્ટાર પૂજા ચવાણના અપમૃત્યુના કેસમાં રાજ્યના વનપ્રધાન સંજય રાઠોડનું નામ બહાર આવ્યા બાદ બીજેપી આ મોરચે આક્રમક થઈ ગઈ હતી અને એણે સંજય રાઠોડના રાજીનામાની માગણી કરી હતી. ગઈ કાલે તેમની મહિલા પાંખે પણ રસ્તા રોકો કરીને સંજય રાઠોડના રાજીનામાની માગણી કરી હતી. શિવસેનાના સંસદસભ્ય અને નેતા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડને રાજીનામું આપી દેવા જણાવ્યું છે મને ખાતરી છે કે તેઓ ગમે તે ઘડીએ રાજીનામું આપશે. સંજય રાઉતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનને શું ચાલી રહ્યું છે એની જાણ હતી, તેઓ પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કરી રહ્યા હતા. તેઓ કાંઈ આંખ બંધ કરીને નહોતા બેઠા.’

mumbai mumbai news shiv sena