19 June, 2022 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય પાંંડે
મુંબઈ: ઝોનલ ડીસીપીની પરવાનગી વિના POCSO એક્ટ હેઠળ છેડતી અથવા ગુના માટે કોઈ એફઆઈઆર નોંધવી જોઈએ નહીં તેવા પરિપત્ર પર ટીકાનો સામનો કર્યા પછી, મુંબઈના સીપી સંજય પાંડે(Sanjay Pandey)એ તેના અધિકારીઓને છેડતી અને અપરાધોના કેસોમાં તરત જ એફઆઈઆર નોંધવા નિર્દેશ આપતા સુધારેલા આદેશ જારી કર્યા છે. POCSO એક્ટ હેઠળ પોલીસ અધિકારીને યોગ્ય લાગે તે સમયે FIR નોંધી શકશે.
શુક્રવારે જારી કરાયેલા સુધારેલા આદેશમાં વધુમાં જણાવ્યું હતું, કેટલીકવાર છેડતીની પોલીસ ફરિયાદો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ મિલકતના મુદ્દા, નાણાકીય વિવાદ અથવા વ્યક્તિગત દુશ્મનાવટને કારણે દાખલ કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં એક વરિષ્ઠ પોલીસ નિરીક્ષકે એફઆઈઆર નોંધવા માટે નિર્દેશો લેવા માટે સંબંધિત સહાયક પોલીસ કમિશનર અને નાયબ કમિશનર (ડીસીપી)નો સંપર્ક કરવો જોઈએ, એવું આદેશમાં જણાવાયું.
6 જૂનના રોજ, મુંબઈ પોલીસના વડા સંજય પાંડેએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે છેડતી માટે અથવા POCSO એક્ટ હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) ACPની ભલામણ પર અને ઝોનના DCPની પરવાનગી મેળવ્યા પછી જ નોંધવામાં આવે. પછી નિર્દેશ માટે કારણ દર્શાવવામાં આવ્યું હતું કે ઘણી વખત મિલકત, પૈસાના વિવાદને કારણે આવા ગુનાના ખોટા કેસ નોંધવામાં આવે છે.
સુધારેલા આદેશ મુજબ, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જોએ એક સ્ટેશન ડાયરી જાળવવી જોઈએ, જેમાં તેઓ કોની સાથે વાત કરી છે (કેસ નોંધવાની પરવાનગી વિશે) ઉલ્લેખ કરે છે. FIR નોંધવાનો આદેશ આપતા ACP અથવા DCPએ લલિતા કુમારી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખવો જોઈએ. આવા કિસ્સાઓમાં કોઈપણ ધરપકડ કરતા પહેલા, અધિકારીઓએ ACPની મંજૂરી લેવી જોઈએ અને ઝોનલ DCPને પણ તે કેસોમાં તપાસની વ્યક્તિગત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે.