11 April, 2021 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત (ફાઈલ તસવીર)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું કોરોનાવાઇરસનું પરીક્ષણ પૉઝિટિવ થયું છે. તેમને નાગપુરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું આરએસએસ દ્વારા જણાવાયું છે. ૭૦ વર્ષની વયના મોહન ભાગવત કોરોનાવાઇરસના ચેપનાં સામાન્ય લક્ષણો ધરાવે છે એમ જણાવતાં આરએસએસે ગઈ કાલે વધુમાં ઉમેર્યું હતું કે તેમને શુક્રવારે નાગપુરની કિંગ્સવે હૉસ્પિટલમાં દાખલ કરીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.