ચોરી છૂપી ચિકન ખાતા શ્વાનને પથ્થર ફટકારાયા

15 September, 2019 01:33 PM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

ચોરી છૂપી ચિકન ખાતા શ્વાનને પથ્થર ફટકારાયા

વસઈમાં શ્વાનને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.

મુંબઈઃ વસઈમાં ચિકન-મટનની દુકાનમાંથી ચોરીને માંસ ખાતા કૂતરાને અજાણ્યા લોકોએ પથ્થર વડે હુમલો કરીને મારી નાખ્યો હતો. આટલાથી સંતોષ ન થતાં લોકોએ જખમી શ્વાનનું ગળું બાંધીને એને નાળામાં ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા ડૉગને એક પ્રાણીપ્રેમી ઍમ્બ્યુલન્સમાં નાખીને હૉસ્પિટલ લઈ ગયો હતો. શ્વાનના મોઢા અને આંખમાંથી લોહી વહી રહ્યું હતું અને માથામાં પણ ગંભીર ઈજા પહોંચાડાઈ હતી.

વિરાર (વેસ્ટ)માં રહેતા ‌ઓનરરી ડિસ્ટ્રિક્ટ ઍ‌નિમલ વેલ્ફેર ઑ‌ફિસર ‌મિતેશ જૈને ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીંના ચુલના તળાવ પાસે એક નાળું છે. એક સ્થા‌નિક રહેવાસીએ મને ફોન પર જાણ કરી હતી. મેં ઘટનાસ્થળે પહોંચીને જોયું ત્યારે શ્વાનનું ગળું બાંધીને એને નાળામાં ફેંકી દીધો હતો. શ્વાનને ટાઇલ્સના ટુકડા મારવામાં આવતાં એના મોઢા અને આંખમાંથી લોહી નીકળતું હતું.

આ પણ વાંચો : દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયા આ નંદી મહારાજ, પછી થયું કંઇક આવું...

ડૉક્ટરને બોલાવીને પ્રાથ‌મિક સારવાર અપાયા બાદ વસઈના ઍ‌નિમલ બર્થ કન્ટ્રોલ સેન્ટરમાં (એબીસી) તેને એક રાત રાખ્યો હતો અને બીજા ‌દિવસે કરુણા ટ્રસ્ટની ઍમ્બ્લ્યુન્સમાં થાણેની‌હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવ્યો હતો. જોકે એની હાલત ગંભીર છે.’
મા‌ણિકપુરના પોલીસ અ‌ધિકારી રાજેન્દ્ર કાંબળેએ કહ્યું હતું કે ‘શુક્રવારે અજાણ્યા સ્થાનિકો સામે કેસ નોંધીને તપાસ હાથ ધરાઈ છે. પોલીસની એક ટીમને એસપીસીએ હૉ‌સ્પિટલ મોકલી છે.’

vasai mumbai news hatke news