સુશાંતસિંહ રાજપૂત મૃત્ય કેસમાં અમારી તપાસ યોગ્ય હતી:પોલીસ-કમિશનરનો દાવો

02 January, 2021 09:20 AM IST  |  Mumbai | Agency

સુશાંતસિંહ રાજપૂત મૃત્ય કેસમાં અમારી તપાસ યોગ્ય હતી:પોલીસ-કમિશનરનો દાવો

પોલીસ-કમિશનર પરમબીર સિંહ

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની હત્યાના મામલામાં સીબીઆઇ હજી સુધી આ આત્મહત્યા છે કે હત્યા એ નક્કી નથી કરી શકી એટલે મુંબઈ પોલીસની તપાસ યોગ્ય હોવાનો દાવો પોલીસ-કમિશનર પરમબીર સિંહે ગઈ કાલે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સીબીઆઇની તપાસનો અંત અમારી તપાસથી જુદો નહીં હોય. સુપ્રીમ કોર્ટે પણ મુંબઈ પોલીસની તપાસ પ્રોફેશનલ હોવાનું કહ્યું છે, પરંતુ કેટલાક લોકોએ અંગત સ્વાર્થ ખાતર મુંબઈ પોલીસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી તપાસ યોગ્ય હતી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ પોલીસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એની કામ કરવાની ક્ષમતા સામે કોઈ સવાલ ન કરી શકે, અમે કોઈને મુંબઈ પોલીસની છબી ખરાબ કરવા નહીં દઈએ.

mumbai mumbai news sushant singh rajput maharashtra