અંધેરીમાં બસ સળગી ગઈ

05 June, 2025 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર​-બ્રિગેડનાં બે ફાયર-એન્જિનના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી, પણ એ પહેલાં તો બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

અંધેરીમાં બસ સળગી ગઈ

નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની ઐરોલીથી અંધેરી રૂટ-નંબર ૧૪૪ પર દોડતી ઇલેક્ટ્રિક બસ ગઈ કાલે સાંજે ૬ વાગ્યે મરોલ ડેપો પાસે પહોંચી ત્યારે એમાં આગ ફાટી નીકળી હતી. બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તરત જ બસ રોડ પર સાઇડમાં પાર્ક કરી દીધી હતી. બસના બધા જ પૅસેન્જરો ડ્રાઇવર અને કન્ડક્ટર સાથે બસની બહાર સુખરૂપ આવી ગયા હતા. એ પછી આખી બસ ભડભડ સળગી ગઈ હતી. ફાયર​-બ્રિગેડનાં બે ફાયર-એન્જિનના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવી નાખી હતી, પણ એ પહેલાં તો બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.

દિવામાં લાગેલી ભીષણ આગમાં ૬ ગોડાઉન બળીને ખાખ

દિવાના ચૌધરી કમ્પાઉન્ડના સ્ક્રૅપના એક ગોડાઉનમાં મંગળવારે રાતે ૮.૫૩ વાગ્યે લાગેલી ભીષણ આગ આજુબાજુનાં ગોડાઉનોમાં પણ ફેલાતાં સ્ક્રૅપનાં એક પછી એક કુલ છ ગોડાઉન બળીને ખાખ થઈ ગયાં હતાં. સ્ક્રૅપનાં એ ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં પૂંઠાં અને પ્લાસ્ટિકના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગે ટૂંક સમયમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. 

mumbai fire incident mumbai fire brigade andheri navi mumbai brihanmumbai electricity supply and transport mumbai transport news mumbai news