૭ દિવસ સુધી ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડમાં પાંચ ટકા પાણીકાપ

18 April, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠામાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

BMCએ વૉટર ટનલ્સના મેઇન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી મુંબઈગરાઓએ આગામી અઠવાડિયે પાણીકાપનો સામનો કરવો પડશે. ૨૦ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠામાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

BMC દ્વારા ચેમ્બુરથી વડાલા અને પરેલ સુધી વિસ્તરેલી વૉટર ટનલ-નંબર એક તેમ જ વૉટર-ટનલ ચેમ્બુરથી ટ્રૉમ્બે લો-લેવલ અને હાઈ-લેવલ રિઝર્વોયર સુધીની ટનલ-નંબર બે પર ટેક્નિકલ કામગીરી કરવામાં આવશે. આ મેઇન્ટેનન્સમાં ચાર્જિંગ, ફ્લશિંગ અને ડી-ક્લોરિનેશન જેવી પ્રક્રિયાઓ સામેલ છે. એને પગલે કુર્લા, ગોવંડી, ચેમ્બુર, ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડ વિસ્તારોમાં પાણીકાપ રહેશે.

mumbai water levels Water Cut brihanmumbai municipal corporation kurla govandi chembur ghatkopar bhandup mulund mumbai mumbai news