મુંબઈ : સાયન ફ્લાયઓવર આજે ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે

18 February, 2020 07:55 AM IST  |  Mumbai

મુંબઈ : સાયન ફ્લાયઓવર આજે ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે

સાયન ફ્લાયઓવર

એમએસઆરડીસી સાયન અને દાદર વચ્ચેનો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રોડ પરનો ફ્લાયઓવર સોમવારે વપરાશ માટે ચાલુ કરવાના હતા, પરંતુ તેમણે એક દિવસનો વિલંબ કરતાં મુંબઈગરાઓએ ગઈ કાલે પણ ભારે ટ્રાફિક જૅમમાં વિતાવવો પડ્યો હતો. ટ્રાફિક જૅમમાં ફસાયેલા મુંબઈગરાઓએ એમએસઆરડીસી વિરુદ્ધનો આક્રોશ સોશ્યલ મીડિયા પર ઠાલવ્યો હતો.

એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એ સાચું છે કે અમે ફ્લાયઓવર સોમવારે સવારે ખુલ્લો મૂકવાના હતા, પરંતુ રિપેરિંગ દરમ્યાન સામે આવેલી કેટલીક ટેક્નિકલ ક્ષતિને લીધે અમે એમ કરી શક્યા નથી. હવે ફ્લાયઓવર મંગળવારે સવારે ખુલ્લો મૂકવામાં આવશે. મોટરચાલકોને પડેલી તકલીફ બદલ અમે દિલગીર છીએ.’

કાટ ખાધેલા જૂના નટ-બોલ્ટ્સ બદલવા માટે જાન્યુઆરી મહિનામાં ફ્લાયઓવર બંધ કરવામાં આવ્યો હતો. આ પાર્ટ્સ બદલી કરવામાં જ સમય લાગી ગયો હતો, પાછળથી બીજા પાર્ટ્સ પણ બદલવામાં આવ્યા હતા જેથી વાહનચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે.

sion mumbai mumbai news