બીજી જાન્યુઆરી સુધી મુંબઈમાં કલમ ૧૪૪ લાગૂ, આવા હશે પ્રતિબંધો

02 December, 2022 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શહેરમાં મોટા મેળાવડા અને સરઘસ પર પ્રતિબંધ

ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મુંબઈમાં બીજી જાન્યુઆરી સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. શહેરમાં શાંતિ સુનિશ્ચિત કરવા અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે શહેરમાં ૧૪૪ લાગૂ કરિ હોવાથી તેમની સગવડતા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. જે મુજબ, બીજી જાન્યુઆરી સુધી પાંચથી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. જો પાંચથી વધુ લોકો એકસાથે દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

એક અખબારી યાદીમાં મુંબઈ પોલીસના મિશન વિભાગના ડેપ્યુટી કમિશનર વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, શહેરમાં કોઈપણ પ્રકારના મેળાવડા, સરઘસ, પ્રદર્શન, લાઉડસ્પીકર વગાડવા વગેરે પર બીજી જાન્યુઆરી સુધી પ્રતિબંધ રહેશે. હાલમાં, આ જ આદેશને ૧૭ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે અને મુંબઈમાં ચાર ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી શસ્ત્ર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

આ છે પ્રતિબંધો :

mumbai mumbai news mumbai police