Mumbai Metro Updates: મુંબઈ મેટ્રો સેવામાં મોટી ટૅકનિકલ ખામી સર્જાતા લોકો હેરાન

03 October, 2025 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Metro Updates: ઘણા હતાશ મુસાફરોએ તેને સ્પષ્ટ સંદેશાવ્યવહારના અભાવ ગણાવી ટીકા કરી. કૃતિક રાઉતે જણાવ્યું હતું કે ગુંદાવલી સ્ટેશન પર એક કલાકથી વધુ સમય સુધી આગામી 20 મિનિટમાં સેવાઓ ફરી શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું હતું.

સાવચેતીના પગલા રૂપે, મેટ્રોને સાન્તાક્રુઝ સ્ટેશન પર સુરક્ષિત રીતે ખાલી કરાવવામાં આવી (તસવીર: મિડ-ડે)

શુક્રવારે બપોરથી જ મુંબઈ મેટ્રો લાઇનમાં ટૅકનિકલ ખામીને કારણે સાંતાક્રુઝ સ્ટેશન નજીક મુસાફરોની મુસીબતમાં વધારે થયો હતો. આ ઘટના સાંજના ભીડના સમયે બનતા શહેરના નેટવર્કમાં મોટો અવરોધ સર્જાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 2:44 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે આચાર્ય અત્રે ચોક તરફ જતી એક ટ્રેનમાં સાંતાક્રુઝ નજીક પહોંચતી વખતે ખામી સર્જાઈ હતી. સાવચેતી રૂપે, મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ ઈજા થઈ ન હતી. અસરગ્રસ્ત ટ્રેનને બાદમાં વિગતવાર નિરીક્ષણ માટે BKC લૂપલાઇન પર ખસેડવામાં આવી હતી દરમિયાન એક્વા લાઇન 3 પર અન્ય સેવાઓ સમયપત્રક મુજબ ચાલુ રહી હતી.

એક નિવેદનમાં, મેટ્રો ઓપરેટરે જણાવ્યું હતું કે, "અમને મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ અને તેમના સહકારની પ્રશંસા કરીએ છીએ. મુસાફરોની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રોટોકોલનું તાત્કાલિક પાલન કરવામાં આવ્યું હતું." જોકે, આ ખામી ઝડપથી નેટવર્કના અન્ય ભાગોમાં ફેલાઈ હતી. મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન લિમિટેડ (MMMOCL) એ આગ્રહ કર્યો હતો કે ફક્ત ‘થોડો વિલંબ’ થયો હોવા છતાં, યલો લાઇન 2A અને રેડ લાઇન 7 ના મુસાફરોએ એક કલાકથી વધુ સમય માટે ફસાયેલા હોવાની ફરિયાદ કરી હતી. પીક ઑફિસ સમય દરમિયાન ટ્રેનો લાંબા સમય સુધી આગળ વધી શકી ન હોવાથી સોશિયલ મીડિયા મુસાફરોની ફરિયાદોથી ભરાઈ ગયું હતું.

ઘણા હતાશ મુસાફરોએ તેને સ્પષ્ટ સંદેશાવ્યવહારના અભાવ ગણાવી ટીકા કરી. કૃતિક રાઉતે જણાવ્યું હતું કે ગુંદાવલી સ્ટેશન પર એક કલાકથી વધુ સમય સુધી આગામી 20 મિનિટમાં સેવાઓ ફરી શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. મીઠ ચોકી પર, મુસાફર પ્રથમેશ પ્રભુએ દહિસર જતી ટ્રેનમાં ફસાયેલા હોવાની જાણ કરી હતી, જેમાં ટૅકનિકલ સમસ્યાઓના વારંવાર ઉલ્લેખ સિવાય કોઈ યોગ્ય અપડેટ્સ નહોતા. અન્ય મુસાફર, શ્રીનિધિ નાડગૌડાએ મેટ્રો પર સ્ટોપેજનું વાસ્તવિક કારણ છુપાવવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે પોઈસર સ્ટેશન પર ફસાયેલા રોહિતે આવા મહત્ત્વપૂર્ણ સમયમાં સક્રિયતાના અભાવ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. કેટલાક મુસાફરોએ તો એવો પણ દાવો કર્યો હતો કે સુરક્ષા ગાર્ડ્સે તેમને જાણ કરી હતી કે સેવાઓ બે કલાક સુધી બંધ રહી શકે છે.

સાંજે 7:14 વાગ્યા સુધીમાં, MMMOCL એ જાહેરાત કરી હતી કે લાઇન 2A અને 7 પર સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. "સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે, લાઇન 2A અને 7 પર ટ્રેનો દોડવા લાગી છે. અમે અમારા મુસાફરોને જણાવવા માગીએ છીએ કે એક કલાકમાં સેવાઓ સંપૂર્ણપણે સમયપત્રક પર પુનઃસ્થાપિત કરવામાં આવશે," એજન્સીએ જણાવ્યું.

mumbai metro mumbai metropolitan region development authority mumbai news santacruz rajendra aklekar andheri