Mumbai: ગોરેગાવમાં મહાનંદ ડેરીમાં ગેસ લીક થતાં આગનો બનાવ- કોઈ જાનહાનિ નહીં

25 July, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: ગ્રાઉન્ડ ફ્લોર કોલ્ડ સ્ટોરેજ યુનિટમાં એક જ સિલિન્ડરમાંથી ગેસ લીક થવાની ઘટના બની હતી.

પ્રતીકાત્મક તસવીર

Mumbai: મુંબઈના ગોરેગાંવ (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નેસ્કો ગેટની સામે આવેલ મહાનંદા ડેરીમાં મંગળવારે મોડી રાત્રે એમોનિયા ગેસ લીક થયો હતો. આ ઘટનાની જાણ સૌપ્રથમ ગઈકાલે રાત્રે લગભગ 9:12 વાગ્યે કરવામાં આવી હતી અને આ બનાવની માહિતી મળતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર કોલ્ડ સ્ટોરેજ યુનિટમાં એક જ સિલિન્ડરમાંથી ગેસ લીક થવાની ઘટના બની હતી.  આ ગેસ લીક થવાને કારણે તેની અસર લગભગ 500 ચોરસ ફૂટ વિસ્તાર સુધી જોવા મળી હતી.

એમએફબી, મુંબઈ પોલીસ (Mumbai), 108 એમ્બ્યુલન્સ, હેઝમેટ એકમ અને બીએમસીના વોર્ડ સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે મહાનંદા ડેરીના કર્મચારીઓને પરિસરમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના આવી ગયા બાદ તરત જ આગને ઓલવવાના પ્રયાસ શરુ કરી દેવામાં આવ્યા હતા.

અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે પરિસ્થિતિ થોડાક જ સમયમાં નિયંત્રણમાં આવી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યાં નથી. હાલ અહીં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ફાયર અધિકારીઓએ લીક થઇ રહેલા એમોનિયાને અટકાવવા માટે કરવા માટે ત્રણ ઉચ્ચ દબાણવાળી પ્રાથમિક સારવાર લાઇનો અને ચાર મોટર પંપ સાથે જોડાયેલી એક નાની નળીની લાઇન ફીટ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 15-20 કિલો એમોનિયા ગેસ, પ્રિઝોલ 68 લ્યુબ્રિકન્ટ તેલ સાથે મિશ્રિત, સુરક્ષિત રીતે અન્ય રીઝ્ર્વોઈર ટેંકમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. 

Mumbai: અહીં સલામતીના પગલાના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, વાલ્વ કયા કારણોસર ફેઈલ થયું હતું તે અંગેનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. 

ભાંડુપના ખિંડીપાડામાં જમીન ધસી પડતાં ઘરો તૂટી પડ્યા

ગઈકાલે મંગળવારે સાંજે ભાંડુપ (પશ્ચિમ)માં પર્વતીયભાગમાં જમીન ધસી પડી (Mumbai) હતી. સિવિક અને ઈમરજન્સી સેવાઓ ત્યાં પહોંચી ગઈ હતી. આ ઘટના ખિંડીપાડામાં ઓમેગા સ્કૂલની સામે સાઈ નિકેતન સીએચએસ નજીક બની હતી. એસ વોર્ડ કંટ્રોલ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના પહેલા 22 જુલાઈના રોજ સાંજે 7:32 વાગ્યે નોંધાઈ હતી. નજીકના ડુંગરાળ વિસ્તારમાંથી કાદવ અને માટી કથિત રીતે નીચે જમીન ધસી પડી હતી. જે બે ઘરને નુકસાન થયું હતું તે પહેલેથી જ ખાલી કરાયા હતા. વધુમાં, રહેવાસીઓની સલામતી માટે સાવચેતીના પગલા તરીકે નજીકના ત્રણથી ચાર મકાનોને ખાલી કરાવવામાં આવ્યા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી), મુંબઈ પોલીસ અને વોર્ડ સ્ટાફ સહિત અનેક ઈમરજન્સી એજન્સીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ) ની ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

 

mumbai news mumbai mumbai fire brigade fire incident goregaon