Mumbai Fire: બોરીવલીમાં ઈમારતમાં લાગી ભીષણ આગ, 14નો સુરક્ષિત બચાવ

19 June, 2022 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તર મુંબઈના બોરીવલી વિસ્તારમાં શનિવારે રાત્રે એક ભયાનક અકસ્માત ટળી ગયો. અહીં ધીરજ સવેરા બિલ્ડીંગમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ પછી લોકોએ જીવ બચાવવા માટે 15મા માળે આશ્રય લેવો પડ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: ઉત્તર મુંબઈના બોરીવલી વિસ્તારમાં શનિવારે રાત્રે એક ભયાનક અકસ્માત ટળી ગયો. અહીં ધીરજ સવેરા બિલ્ડીંગમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ પછી લોકોએ જીવ બચાવવા માટે 15મા માળે આશ્રય લેવો પડ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આગ 14મા માળે સ્થિત બે ફ્લેટમાં લાગી હતી. બિલ્ડિંગમાંથી 14 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

 ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તેમને લગભગ 12.30 વાગ્યે આગની માહિતી મળી હતી. આ પછી, ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે તેને બુઝાવવા માટે સાત ફાયર ટેન્ડરોની જરૂર પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સવારે 6.30 વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જે સમયે બિલ્ડિંગમાં આગ લાગી તે સમયે ફ્લેટમાં ત્રણ મહિલાઓ ઉપરાંત આઠ લોકો હાજર હતા.

mumbai news mumbai borivali