રવિવારના ઝીરો બાદ ગઈ કાલે કોરોનાએ લીધો ચારનો ભોગ

19 October, 2021 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષની ઉંમરનો હતો તો ૩ દરદી સિનિયર સિટિઝન હતા

ફાઈલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૦,૧૧૪ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૧.૨૩ ટકા પૉઝિટિવિટી સાથે ૩૭૩ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં વધુ ૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષની ઉંમરનો હતો તો ૩ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૧૮૪ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૫૪૩ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૫૧,૧૮૧ કેસમાંથી ૭,૨૭,૬૨૭ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને ૪,૮૫૩ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર વધારા સાથે ૧,૨૫૩ દિવસ થયો છે.

coronavirus covid19 mumbai mumbai news