Mumbai Corona Update: મુંબઈમાં શુક્રવારે નોંધાયા 446 દર્દીઓ, 288 લોકો થયા રિકવર

05 August, 2022 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધઘટ થઈ રહી છે. મુંબઈની સાથે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. આજે મુંબઈમાં 446 દર્દીઓ નોંધાયા છે. વધતા આંકડાઓને કારણે વહીવટીતંત્રની સાથે નાગરિકો પણ ચિંતિત છે. છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, શુક્રવારે મુંબઈમાં 288 દર્દીઓએ કોરોનાને માત આપી છે. પરિણામે, મુંબઈમાં કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા 11,04,549 પર પહોંચી ગઈ છે. તો મુંબઈનો રિકવરી રેટ 98 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે.

કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 19 હજાર 656 પર પહોંચી ગઈ છે. હાલમાં મુંબઈમાં 2,391 એક્ટિવ દર્દીઓ છે. દરમિયાન, મુંબઈમાં મળી આવેલા નવા 446 દર્દીઓમાંથી 408 દર્દીઓમાં વધુ લક્ષણો નથી, તેથી મુંબઈકરોને થોડી રાહત મળી છે. દર્દી બમણો થવાનો દર અને સક્રિય દર્દી પણ ઝડપથી વધી રહી છે. દર્દી બમણા થવાનો દર વધીને 2483 દિવસ થઈ ગયો છે.

મુંબઈમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ

રાજ્યમાં મુંબઈમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ છે. મુંબઈમાં 2391 સક્રિય દર્દીઓ છે, જ્યારે પુણેમાં 3138 સક્રિય દર્દીઓ છે. તે પછી થાણેમાં 873 સક્રિય દર્દીઓ છે. પાલઘર 159, રાયગઢ 247, રત્નાગિરી 48, સિંધુદુર્ગ 62, સતારા 111, સાંગલી 195, કોલ્હાપુર 153, સોલાપુર 184, નાસિક 519, અહમદનગર 341, જલગાંવ 56, ધુલે 96, ઔરંગાબાદ, 749, હિંગોલી 26, નાંદેડ 85, ઉસ્માનાબાદ 161, અમરાવતી 124, અકોલા 38, વાશિમ 118, બુલઢાણા 54, યવતમાલ 83, નાગપુર 1294, વર્ધા 90, ભંડારા 289, ગોંદિયા 130, ગઢચિરોલી અને ચંદ્રપુરમાં 01 સક્રિય કેસ છે. રાજ્યમાં કુલ 11906 સક્રિય દર્દીઓ છે.

mumbai mumbai news coronavirus covid19