Mumbai Corona Update: છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૧,૩૮૪ નવા કોરોના કેસ, ૧૨નાં મોત

27 January, 2022 08:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં મુંબઈમાં 18,040 સક્રિય કોરોના દર્દીઓ છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં નવા મળી આવેલા કોરોના પીડિતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને આજે કોરોના મુક્ત લોકોની સંખ્યા પણ વધુ છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 1,384 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. દર્દીઓની સંખ્યા ગઈકાલ કરતા પણ ઓછી છે. હાલમાં મુંબઈમાં 18,040 સક્રિય કોરોના દર્દીઓ છે.

મહાનગર પાલિકાના જણાવ્યા અનુસાર, ગુરુવારે મુંબઈમાં 1,384 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને 12 સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,581 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 5 હજાર 686 લોકોએ કોરોનાને માત આપી છે. તેથી, હાલમાં મુંબઈનો રિકવરી રેટ 96 ટકા છે.

હાલમાં મુંબઈમાં 28 ઈમારતો સીલ કરવામાં આવી છે. તેમ જ નવા મળી આવેલા 1,384 દર્દીઓમાંથી માત્ર 184 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 37,827 બેડમાંથી માત્ર 2,927 બેડ જ ઉપયોગમાં છે.

 

mumbai mumbai news coronavirus covid19