30 June, 2020 12:30 PM IST | Mumbai | Mumbai correspondent
પલ્ટી ગયેલું પોલીસ વાહન
એનસીપી સુપ્રીમો શરદ પવારના કાફલામાંના પોલીસના વાહનને પિંપરી ચિંચવડમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓને સાધારણ ઈજા પહોંચી હતી, જ્યારે કે શરદ પવાર જે ગાડીમાં સવાર હતા એને કંઈ થયું નહોતું. પવાર સ્વસ્થ હોઈ તેઓ મુંબઈ જવા રવાના થયા હતા.
એક્સપ્રેસ વે પર પુણેથી મુંબઈ આવતાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં અમૃતાંજન પુલ પાસે પોલીસનું વાહન પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. ગાડીમાં સવાર પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી હતી.
અકસ્માત વખતે શરદ પવારની ગાડી આગળ ચાલી રહી હતી, જેને કારણે તેમની ગાડી સુરક્ષિત હતી. સ્થાનિક પોલીસોએ દુર્ઘટનાગ્રસ્ત વાહનને માર્ગ પરથી દૂર કરતાં શરદ પવારનો કાફલો મુંબઈ જવા રવાના થયો હતો.