મરાઠી ઍક્ટરની ટીવી-શોમાંથી હકાલપટ્ટીનો થયો મોટો વિવાદ

16 January, 2022 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર પ્રવાહ ચૅનલ પરથી પ્રસારિત થતા આ મરાઠીભાષી શોમાં કિરણ માનેની ભૂમિકા વિકાસ પાટીલની હતી

કિરણ માને (તસવીર : સુરેશ કરકેરા)

મરાઠી ટીવી-શો ‘મુલગી ઝાલી હો’માંથી પોતાની હકાલપટ્ટી થવા પર અભિનેતા કિરણ માનેએ નારાજગી વ્યક્ત કરી હતી. સ્ટાર પ્રવાહ ચૅનલ પરથી પ્રસારિત થતા આ મરાઠીભાષી શોમાં કિરણ માનેની ભૂમિકા વિકાસ પાટીલની હતી. કિરણ માનેની હકાલપટ્ટી મરાઠી ટીવી ઉદ્યોગમાં મોટો વિવાદ ઊભો થયો હતો. કિરણ પોતાની ફરિયાદ લઈને એનસીપીના સુપ્રીમો શરદ પવાર પાસે પણ ગયા હતા. સોશ્યલ મીડિયા પર પ્રસંગોચિત મુદ્દાઓ પર કરેલી સખત ટિપણીઓને કારણે સ્ટાર પ્રવાહે કિરણ માનેને શોમાંથી દૂર કર્યો હતો. તેણે કહ્યું હતું કે મને સત્તાવાર રીતે શુક્રવારથી સેટ પર ન આવવાની સૂચના આપવામાં આવી ત્યારે એ માટેનું કારણ જણાવાયું નહોતું. શોમાંથી અભિનેતાની હકાલપટ્ટીએ ટ્વિટર અને ફેસબુક પર #I_stand_with Kiran Mane હૅશટૅગ સાથે સોશ્યલ મીડિયા પર તેના માટે સમર્થન જનરેટ ૈકર્યું છે.

mumbai mumbai news bharatiya janata party narendra modi sharad pawar nationalist congress party