14 October, 2022 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિતેશ રાણે
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે(Narayan Rane)ના પુત્ર અને ભાજપ(Bhajap)ના ધારાસભ્ય નિતેશ રાણે(Nitesh Rane)એ `શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે`ના ચૂંટણી ચિન્હની મજાક ઉડાવી છે. ઉદ્ધવ જૂથની શિવસેના(Shivsena)ને તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રતીક તરીકે સળગતી મશાલ(Election Simbole Mashal)નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. આ પછી આજે નિતેશ રાણેએ ઉદ્ધવ જૂથના નિશાન મશાલને આઈસ્ક્રીમનો કોન (Ice cream cone) કહીને કટાક્ષ કર્યો છે.
નોંધનીય છે કે ચૂંટણી પંચે સોમવારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને `મશાલ` પ્રતીકની ફાળવણી કરી હતી. પંચે ધાર્મિક લાગણીઓને ટાંકીને `ત્રિશૂલ` પરના તેમના દાવાને ફગાવી દીધો હતો. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ઉદ્ધવ જૂથના ચિન્હ વિશે કહ્યું, "તે મશાલ નથી.. આઈસ્ક્રીમનો કોન છે... ઉદ્ધવ ઠાકરેનું ચૂંટણી ચિન્હ મશાલ ન હોઈ શકે. તે વ્યક્તિની અંદરની આગ ખતમ થઈ ગઈ છે. તે વ્યક્તિના હાથ પર ફક્ત આઈસ્ક્રીમનો કોન જ સૂટ થાય છે, તેથી ચૂંટણી પંચે પણ યોગ્ય નિશાની આપી હતી. હવે ઉદ્ધવ અને તેનો પુત્ર તે કોન લઈને ફરી રહ્યાં છે."
ચૂંટણી પંચે સોમવારે એક આદેશ જારી કરીને પક્ષના નામ તરીકે ઉદ્ધવ ઠાકરેના જૂથને `શિવસેના - ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે` જ્યારે એકનાથ શિંદેના જૂથને `બાલાસાહેબંચી શિવસેના`નું નામ આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથ મુંબઈની અંધેરી બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી `મશાલ` પ્રતીક પર લડશે.
આ પણ વાંચોઃઆશિકે યુવતીને ટ્રેન સામે માર્યો ધક્કો, દીકરીના મોતથી પિતાએ પણ છોડ્યા પ્રાણ
ચૂંટણી પંચ (EC) એ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને `બે તલવાર અને એક ઢાલ` પ્રતીક ફાળવ્યું હતું. એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને હવે `બાલાસાહેબંચી શિવસેના` નામ આપવામાં આવ્યું છે. જો તે અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક માટે 3 નવેમ્બરની પેટાચૂંટણી લડવાનું નક્કી કરે તો જૂથ `બે તલવાર અને એક ઢાલ` પ્રતીકનો ઉપયોગ કરી શકશે. પ્રતીકની ફાળવણીનું સ્વાગત કરતાં શિંદેએ કહ્યું કે તેમનું જૂથ શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત કટ્ટર હિન્દુત્વની વિચારધારા માટે સાચા માર્ગદર્શક છે.
આ પણ વાંચોઃઓહ બાપ રે..! ડૉક્ટરે મહિલાની આંખમાંથી કાઢ્યા 23 લેન્સ, કારણ જાણી ચોંકી જશો