17 September, 2022 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણેમાં શનિવારે અજાણ્યા બદમાશોએ કોન્ટ્રાક્ટર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે સદ્નસીબે આ ઘટનામાં તેઓ બચી ગયા હતા. ચિતલસર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સુલભા પાટીલે જણાવ્યું કે આ ઘટના સવારે 3.45 વાગ્યે બની હતી.
ખરેખર, શહેરના ઘોડબંદર રોડ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર ગણેશ કોકાટે પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન એક મોટરસાઇકલ પર આવેલા પાંચ અજાણ્યા બદમાશોએ તેમનો રસ્તો રોક્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. જે બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સદનસીબે કોન્ટ્રાક્ટર ગણેશ નાસી છૂટ્યો હતો. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.