17 March, 2024 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે મહારાષ્ટ્રના ચૂંટણીપંચે ૧૮ નેતાઓને લોકસભાની ચૂંટણી લડવા માટે અપાત્ર ઠેરવ્યા છે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડનારા આ નેતાઓએ ખર્ચની વિગતો ચૂંટણીપંચમાં રજૂ ન કરવાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અપાત્ર ઠેરવવામાં આવેલા આ નેતાઓ જોકે ઓછા જાણીતા નાના પક્ષના અને અપક્ષ છે. તેઓ ૨૦૧૯માં મુંબઈ સહિત રાજ્યની વિવિધ બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.