આજે સોમૈયા કૉલેજમાં જૈનાચાર્ય ફ્રીડમ ઑફ સ્પીચ પર સંબોધન કરશે

20 March, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યાવિહારમાં આવેલી સોમૈયા કૉલેજમાં ભગવાન મહાવીરના ૭૯મા વારસદાર જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મહારાજ) આજે સવારે ૯થી ૧૧ વાગ્યા દરમ્યાન મૉડર્ન અને પ્રાચીન સંદર્ભમાં વાણી સ્વાતંય વિષય પર સંબોધન કરશે જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેેશે.

જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મહારાજ)

વિદ્યાવિહારમાં આવેલી સોમૈયા કૉલેજમાં ભગવાન મહાવીરના ૭૯મા વારસદાર જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ (પંડિત મહારાજ) આજે સવારે ૯થી ૧૧ વાગ્યા દરમ્યાન મૉડર્ન અને પ્રાચીન સંદર્ભમાં વાણી સ્વાતંય વિષય પર સંબોધન કરશે જેમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આજે અને કાલે બે દિવસ એક વિશિષ્ટ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે જેમાં વર્તમાન વર્લ્ડ ઑર્ડરને ન્યાયી અને યોગ્ય બનાવવા માટેના સચોટ ઉપાયોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવામાં આવશે. જૈનાચાર્યના વિઝન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનને અનેક સ્થળેથી ખૂબ જ આવકાર મળ્યો છે તેમ જ અનેક કાનૂની નિષ્ણાતો અને મહાનુભાવોએ દિલોજાનથી એની પ્રશંસા કરી છે.

ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૬માં વસુધૈવ કુટુંબકમ્ કી ઓર ૪.૦ કૉન્ક્લેવનું વિશાળ આયોજન મુંબઈમાં કરવાનું આયોજન થઈ રહ્યું છે જેમાં દેશ-વિદેશના કાનૂની અને પૉલિટિક્સ ક્ષેત્રના મહાનુભાવો ભાગ લેવા પધારશે. 

vidyavihar somaiya college jain community gujarati community news Education mumbai news mumbai