19 June, 2021 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના અડધા કરોડ (૫૦ લાખ) કરતાં વધુ લોકોને છેલ્લા પાંચ મહિનામાં રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના એક અહેવાલમાં ગઈ કાલે જાહેર કરાયું હતું.
અહેવાલમાં જણાવાયા મુજબ ૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૫૩,૭૨,૨૧૯ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે રાજ્યમાં ૧૮ વર્ષથી વધુ વયના કુલ નવ કરોડ લોકો હોવાનું જણાવ્યું હતું, જે ધ્યાનમાં લેતાં છેલ્લા પાંચ મહિનામાં રાજ્યના પાંચ ટકા કરતાં સહેજ વધુ લોકો સંપૂર્ણ રસીકરણ મેળવી ચૂક્યા છે.
રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ દૈનિક આઠ લાખ લોકોને રસી આપવાની સ્થાપિત ક્ષમતાના કરેલા દાવા સામે દૈનિક સરેરાશ બે લાખ લોકોને રસી આપી શકાઈ છે.