23 July, 2021 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘરેલુ મુદ્દે ભાઈ-બહેન વચ્ચે થયેલી તકરારમાં ભાઈએ સ્વયંને આગ ચાંપી દેતાં થાણે શહેરની હૉસ્પિટલમાં તેનું મોત થયું હતું. એને પગલે પોલીસે બહેન સામે ફોજદારી કેસ દાખલ કર્યો હોવાની એક અધિકારીએ બુધવારે માહિતી આપી હતી.
૪૫ વર્ષનો ભાઈ અંબરનાથનો રહેવાસી હતો. ૧૩ જુલાઈએ તે ગંભીર રીતે દાઝી ગયો હતો અને ૧૮ જુલાઈએ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ભાઈ અને તેની મોટી બહેન વચ્ચે ઘરેલુ બાબતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્રોધાવેશમાં ભાઈએ શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે બહેને તેના ભાઈને પેટ્રોલની બૉટલ આપી હતી અને તેને જે કરવું હોય તે કરે એમ કહ્યું હતું. એના કારણે ભાઈએ પોતાને આગ ચાંપી દીધી હતી. પ્રારંભિક ધોરણે મહિલા પર આઇપીસીની કલમ ૧૦૯ અને ૩૩૮ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.