22 June, 2022 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સાંજે તેમના પક્ષના બધા જ વિધાનસભ્યોની એક બેઠક બોલાવી હતી. એમાં હાજર રહેલા ૨૭ વિધાનસભ્યોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો ચાલુ છે અને મને વિશ્વાસ છે કે તે બહુ જલદી પાછા ફરશે. આપણે આટલો વખત સુધી બીજેપી સાથે હતા. તેમની સાથે રહેવામાં કેટલો ત્રાસ થયો હતો એ આપણે જાણીએ છીએ. એથી એની સાથે જવામાં મજા નથી.’
મુંબઈમાં હાજર અને શિવસેનાને વફાદાર એવા આ ૨૭ વિધાનસભ્યોમાંથી પણ કોઈ ખડી ન પડે એ માટે તેમને બધાને પ્રેસ-કૉન્ફરન્સ બાદ વેસ્ટ-ઇન હોટેલમાં મોકલી અપાયા હતા.