ચાર કે એનાથી વધારે લોકોના ભેગા થવા પર જે પ્રતિબંધ છે એમાંથી શું રેલવે બાકાત છે?

17 January, 2022 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સુધરાઈ શહેરમાં ક્યાંય પણ લાેકોને ભેગા થવા નથી દેતી

તસવીર : આશિષ રાજે 

ગઈ કાલે સેન્ટ્રલ લાઇન પર મેગા બ્લૉક હોવાને કારણે દાદર સ્ટેશન પર લાંબા સમયે ટ્રેન આવતી હોવાથી દિવસ દરમ્યાન એવી જોરદાર ગિરદી જોવા મળી હતી કે એને જોઈને રીતસર ગભરાઈ જવાય. હાલમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સુધરાઈ શહેરમાં ક્યાંય પણ લાેકોને ભેગા થવા નથી દેતી. એટલું  જ નહીં, રાતના સમયે તો સરકારે કરફ્યુ પણ લગાવી દીધો છે ત્યારે આવી રીતે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તો પ્રશાસનની કોરોનાને કાબૂમાં લાવવા માટે કરેલી મ‌હેનત માથે ન પડે તો સારું.


 

coronavirus covid19 mumbai mumbai news mumbai local train