22 March, 2020 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝેટીવ આવનરા 63 વર્ષના વૃધ્ધનું રવિવારે સવારે કસ્તિરબા હૉસ્પિટલમાં મૃત્યુ થયું હોવાની માહિતિ જાહેર આરોગ્ય વિભાગે આપી હતી. COVID-19 ને કારણે મુંબઈમાં બીજી વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આજે મૃત્યુ પામનાર વૃધ્ધન ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનો દર્દી હતો. તેના મૃત્યુ સાથે જ ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓનો મૃત્યુઆંક પાંચ થઈ ગયો છે. ગત મંગળવારે મુંબઈમાં 63 વર્ષના વૃધ્ધનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: Corona Virus Janata Curfew Update: મુંબઇમાં Covid-19નાં બીજા દર્દીનું મોત
રાજ્યમાં શનિવારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એકાએક વધવા લાગતા ચિંતાનો વિષય બન્યો હતો. શનિવારે મહારાષ્ટ્રમાં 12 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી આઠ દર્દીઓ મુંબઈના જ હતા. જ્યારે કલ્યાણ અને યવતમાળ પ્રત્યેકમાંથી એક દર્દી, પુણેમાંથી બે દર્દી નોંધાયા હતા