મહાનગર પાલિકા ચૂંટણી માટે મનસે MVA સાથે જવા તૈયાર પણ કૉંગ્રેસ કહે છે આ મામલે હજી...

10 November, 2025 07:16 PM IST  |  Nashik | Gujarati Mid-day Online Correspondent

પાટીલે સંભવિત MVA સાથે ગઠબંધન વિશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ ગઠબંધન બધી ચૂંટણીઓ માટે બનાવવામાં આવ્યું છે. લોકશાહીને જીવંત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બધા પક્ષોએ મતદારોની યાદીમાં અનિયમિતતાઓ તરફ ધ્યાન દોર્યું છે.”

રાજ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. જાહેરા બાદ ચૂંટણી પહેલાની તૈયારીઓ હવે ચરમસીમાએ પહોંચી છે. મનસે અને મહા વિકાસ આઘાડી (MVA) સાથે હાથ મિલાવે તેવી અટકળો વચ્ચે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાએ સોમવારે કહ્યું કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીએ નાસિકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે MVA સાથે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જોકે, પત્રકાર પરિષદમાં જાહેરાત કરનારા મનસેના નેતા દિનકર પાટીલે ઉમેર્યું હતું કે આ મામલે અંતિમ નિર્ણય રાજ ઠાકરે લેશે. મહા વિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT), શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (SP) અને કૉંગ્રેસનો સમાવેશ થાય છે.

પાટીલે સંભવિત MVA સાથે ગઠબંધન વિશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ ગઠબંધન બધી ચૂંટણીઓ માટે બનાવવામાં આવ્યું છે. લોકશાહીને જીવંત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બધા પક્ષોએ મતદારોની યાદીમાં અનિયમિતતાઓ તરફ ધ્યાન દોર્યું છે.” વરસાદને કારણે પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતો વ્યથિત છે. ભારતીય સામ્યવાદી પાર્ટી (માર્ક્સવાદી) ના નેતા ડીએલ કરાડે પણ આ મુદ્દે જણાવ્યું હતું. આ સાથે તેમણે આગળ કહ્યું કે, ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સહિત શાસક મહાયુતિના પ્રભાવને ઘટાડવા માટે તમામ પક્ષોએ આગામી ચૂંટણીઓ સાથે મળીને લડવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "અમે ભ્રષ્ટાચાર, જાતિવાદ વગેરે મુદ્દાઓ પર સરકારની અવગણના સામે એક થયા છીએ.” સ્થાનિક કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કૉર્પોરેટર રાહુલ દિવેએ આ મુદ્દે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમને વરિષ્ઠ નેતાઓ દ્વારા સ્થાનિક સ્તરે નિર્ણયો લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે." મનસેઅને MVA ના સંભવિત ગઠબંધન વિશે જણાવતા, તેમણે ઉમેર્યું હતું કે, "અમે હાથ મિલાવવાનો નિર્ણય લીધો છે. જોકે, અમે અમારા નેતા બાળાસાહેબ થોરાટને આ નિર્ણય વિશે પછીથી માહિતી આપીશું. અમે પાર્ટી હાઇકમાન્ડના આદેશનું પાલન કરીશું.”

જોકે, રાજ્ય કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ નાસિકમાં રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે હાથ મિલાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જુલાઈથી વિવિધ કાર્યક્રમોમાં ઘણી વખત મળ્યા છે અને તેમના પક્ષો વચ્ચે ગઠબંધનનો સંકેત આપતા નિવેદનો આપ્યા છે, ત્યારે કૉંગ્રેસ MVA માં MNS ને સામેલનો વિરોધ કરે છે. 8 નવેમ્બરના રોજ અકોલામાં બોલતા, NCP (SP) સુપ્રીમો શરદ પવારે પણ MNS ને વિપક્ષી છાવણીમાં લેવાનો સંકેત આપ્યો હતો અને વિનંતી કરી હતી કે "કૉંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પર આત્યંતિક વલણ ન અપનાવવું જોઈએ અને તેના વિશે વિચારવું જોઈએ."

maha vikas aghadi shiv sena maharashtra navnirman sena raj thackeray congress sharad pawar nashik municipal elections maharashtra news