11 November, 2019 03:20 PM IST | Mumbai
પ્રતિકાત્મક ફોટો
(મિડ-ડે પ્રતિનિધિ) વિરાર-વેસ્ટમાં ગાશી રોડ પર આવેલી શિવસ્થાન સોસાયટીમાં ૬૪ વર્ષનાં સિનિયર સિટિઝન મનકર્ણા માળી તેમના પરિવાર સાથે રહે છે. મનકર્ણા બહેન રાતે સવાનવ વાગ્યે જમીને પોતાની સોસાયટીના પરિસર આસપાસ રાઉન્ડ મારીને તેઓ સોસાયટીના મુખ્ય ગેટથી ઘર તરફ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા લૂંટારાઓએ મહિલાના ગળામાંથી ૩૩ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર ખેંચીને નાસી છૂટ્યા હતા. મહિલાએ બૂમાબૂમ કરતાં લૂંટારાઓ મુખ્ય ગેટથી બોલિંજ તરફ જતા રહ્યા હતા. આરોપીઓ ૨૦થી ૨૫ વર્ષના હોવાનો અંદાજ છે. આ લૂંટ બાદ અર્નાળા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આવી જ ઘટના અગાઉ પણ સોસાયટીમાં રહેતાં નિનાદ દાની સાથે બની હતી. તેમના ઘરનું તાળું તોડીને લગભગ ૩ લાખ ૨૫ હજાર રૂપિયાની ચોરી થઈ હતી. આ રીતે ચોરીના બનાવ બનતાં સોસાયટીના રહેવાસીઓમાં ચિંતા પ્રસરી છે અને તેમણે પોલીસ વહેલી તકે આરોપીઓને શોધી કાઢે એવી માગણી કરી છે.
આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ
(પી.ટી.આઇ.) ૬૫ વર્ષના સિનિયર સિટિઝને પ્રોપર્ટીના વિવાદને કારણે પોતાની પત્નીની હત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી. શ્રીનગર પોલીસે ૬૫ વર્ષના સોમનાથ શુક્લાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર થાણેના ઇન્દિરાનગરમાં રહેતા સોમનાથ શુક્લા અને તેની પત્ની શારદા વચ્ચે બે ફ્લૅટની માલિકી હક્ક બાબતે હંમેશાં ઝઘડા થતા હતા. આ ફ્લૅટ અત્યારે તેમના દીકરાઓનાં નામ પર છે. શનિવારે રાત્રે ઝઘડો વધી જતાં સોમનાથે પત્ની શારદાની હત્યા કરી નાખી હતી. પોલીસે સોમનાથ શુક્લાની ધરપકડ કરી મર્ડરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.