કાંદિવલીમાં એક જ પરિવારના 4 લોકોની લાશ મળી, પોલીસે શરૂ કરી તપાસ

30 June, 2022 08:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હત્યાનું કારણ બહાર આવ્યું નથી અને કોઈ આત્મહત્યાનો પત્ર મળ્યો નથી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના કાંદિવલી વેસ્ટમાં ચાર લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ ગઈકાલે રાત્રે એક મહિલા અને તેની બે પુત્રીઓની હત્યા કર્યા બાદ ડ્રાઈવર તરીકે કામ કરતા એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી.

હજુ સુધી, હત્યાનું કારણ બહાર આવ્યું નથી અને કોઈ આત્મહત્યાનો પત્ર મળ્યો નથી.

તે જ સમયે, પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ મુંબઈથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સાળાએ પોતાની જ ભાભીને મોબાઈલમાં ગેમ રમવાથી અટકાવતા તેની હત્યા કરી નાખી છે.

મામલો મુંબઈના માલવાણીનો છે. કામ ન કરતી અને રમતમાં મજા લેતી વહુને ભાભીની રોકટોક ગમતી ન હતી. તેથી તેણે હત્યાનું કાવતરું ઘડ્યું અને તેણીનું ગળું દબાવી હત્યા કરી અને તેણીને આત્મહત્યા કરવા માટે તેણીને ઉંદર મારવાની દવા ખવડાવી હતી. હાલ આ કેસમાં આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

mumbai mumbai news mumbai crime news mumbai police