14 January, 2022 09:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કોરોનાની તપાસ કરવા માટે હોમકિટના ઉપયોગમાં વધારાને ધ્યાનમાં રાખતા બૃહ્ન્મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં હોમ એન્ટીજન ટેસ્ટ કિટના વિનિર્માતાઓ, આપૂર્તિકર્તાઓ તેમજ વિક્રેતાઓ માટે નવા દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. બીએમસીએ આના વેચાણ સાથે જોડાયેલા લોકોને દરરોજ નક્કી કરેલ ફૉર્મમાં સંબંધિત મહાનગરપાલિકા અધિકારીઓ તથા ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસનને કેટલાય ખાસ વિસ્તરિત ઇ-મેલ કરવાના નિર્દેશ આપ્યા છે.
આદેશમાં કહેવામાં આવ્યું કે પ્રયોગશાળાઓ કે વ્યક્તિઓ દ્વારા વ્યક્તિગત રીતે રેપિડ એન્ટીદન ટેસ્ટ કિટ કે હોમ ટેસ્ટ કિટના માધ્યમથી થનારા બધા કોવિડ-19 ટેસ્ટ પરિણામો મોબાઇલ એપ દ્વારા ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર)ને મોકલવું જરૂરી છે. બીએમસીએ કહ્યું કે કેટલાક કેસમાં હોમ ટેસ્ટ કિટના પરિણામ વિશે આઇસીએમઆરને નથી જણાવવામાં આવ્યું, ફળસ્વરૂપ અધિકારીઓ માટે દર્દીઓ પર નજર રાખવું મુશ્કેલ થઈ ગયું તેમ સંક્રમણ વધુ ફેલાયું.
નવા દિશાનિર્દેશ હેઠળ હોમ ટેસ્ટ કિટના વિનિર્માતાઓ અને વિતરકો મુંબઇમાં કેમિસ્ટો તેમજ દવા દુકાનોને વેચવામાં આવી કિટની સંખ્યા વિશે એફડીએ આયુક્ત તેમજ બીએમસીને સૂચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. કેમિસ્ટો તેમજ દવા દુકાનોએ ગ્રાહકોને વેચેલી ટેસ્ટ કિટનો રિપૉર્ટ રોજ સાંજે છ વાગ્યે નક્કી કરાયેલ ફૉર્મમાં ઇમેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.