ઘાટકોપરમાં રવિવારે બ્લડ ડોનેશન કૅમ્પ અને જાણો બીજું ક્યાં શું?

14 May, 2022 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લડ ડોનેશનમાં ભાગ લેનાર દરેક ડોનર માટે લંચ તથા સુંદર ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કપરા કાળમાં બ્લડની માગણી વધી જતાં અને કોરોનાના ડરના માહોલમાં બ્લડ ડોનેશનના કૅમ્પના અભાવથી મુંબઈની મોટા ભાગની બ્લડ બૅન્કોમાં બ્લડની અછત વર્તાઈ રહી છે ત્યારે હરિઓમ ફ્રેન્ડ સર્કલના રાજેશ ગાંધી તથા લિઓ ક્લબ ઘાટકોપર ગૅલૅક્સીના પ્રેસિડન્ટ વત્સલ માણેક તેમ જ રાહુલ જૈનના નેતૃત્વમાં રવિવાર ૧૫ મેએ ઘાટકોપરમાં બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશનમાં ભાગ લેનાર દરેક ડોનર માટે લંચ તથા સુંદર ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 
વધુ માહિતી માટે રાજેશ જૈનનો ૮૧૬૯૩ ૬૫૦૦૬ તેમ જ રાજેશ ગાંધીનો ૯૮૨૦૦ ૮૬૯૧૭ નંબર પર સંપર્ક કરવો. 

સ્થળ : એસી ક્લબ હાઉસ ક્લોવર રીજન્સી, રામજી આશર લેન, ઘાટકોપર (ઈસ્ટ), સમય : સવારે ૯ વાગ્યાથી. 

બોરીવલીમાં આજે ગોપાલ શેટ્ટીનું જાહેર અભિવાદન અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ

શ્રી ગુજરાતી પરિવાર ફાઉન્ડેશન દ્વારા બોરીવલીમાં આજે સાંજે શ્રી વ્રજકુમારજી મહારાજના સાંનિધ્યમાં સંસદ ભવનમાં દેશની દરેક સ્કૂલમાં શ્રીમદ ભગવદ્ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે એવી માગણી કરવા બદલ ઉત્તર મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીના જાહેર અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સુનીલ સોની ગ્રુપ દ્વારા ભક્તિ સંગીત અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગવત કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા તેમ જ વિધાન સભ્ય યોગેશ સાગર અને સુનીલ રાણે પણ હાજર રહેશે. સ્થળ : વીર સાવરકર ગાર્ડન, બોરીવલી-વેસ્ટ. સમય : સાંજે પાંચ વાગ્યે.

Mumbai mumbai news ghatkopar