પોલીસ હુમલા મામલે અર્નબની અગ્રિમ જામીન પર 23 નવેમ્બર સુધી સુનાવણી ટળી

12 November, 2020 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પોલીસ હુમલા મામલે અર્નબની અગ્રિમ જામીન પર 23 નવેમ્બર સુધી સુનાવણી ટળી

પોલીસ હુમલા મામલે અર્નબની અગ્રિમ જામીન પર 23 નવેમ્બર સુધી સુનાવણી ટળી

મુંબઇ પોલીસ (Mumbai Police)ની મહિલા અધિકારી પર કહેવાતી રીતે હુમલો કરવા મામલે રિપબ્લિક ટીવી ચેનલ (Republic TV Channel)ના પ્રધાન સંપાદક અર્નબ ગોસ્વામી (Arnab Goswami) અને તેમની પત્ની વિરુદ્ધ નોંધાયેલા મામલે અગ્રિમ જામીન આપવા માટે નોંધાયેલી અરજી પર અહીંના સત્રના કૉર્ટે સુનાવણી 23 નવેમ્બર સુધી ટાળી દીધી. દંપતીના વકીલ શ્યામ કલ્યાંકરે કહ્યું કે ગુરુવારના અરજી સુનાવણી થઈ નહીં કારણકે ન્યાયાધીશે આ સાંભળ્યું નહીં.

તેમણે કહ્યું, "અર્નબ ગોસ્વામી અને તેમની પત્ની અગ્રિમ જામીન અરજીને 23 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવ્યું." કલ્યાંકરે કહ્યું, "આજે અમે ધરપકડની અંતરિમ રાહત નહોતા ઇચ્છતા કારણકે અમે ઉચ્ચતમ ન્યાયાલયના વિસ્તૃત આદેશ (બુધવારે એક અન્ય મામલામાં અર્નબને મળી જામીન)ની રાહ જોઇ રહ્યા હતા."

ઉલ્લેખનીય છે કે ઉચ્ચતમ ન્યાયાલયે વર્ષ 2018માં ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઇકને કહેવાતી રીતે આત્મહત્યા માટે ઉકસાવવા મામલે જામીન આપ્યા છે. અર્નબ ગોસ્વામીને બુધવારે સાંજે નવી મુંબઇની તલોજા જેલમાંથી રિહાઇ મળી ગઈ હતી, તેમની પોલીસે ચાર નવેમ્બરના ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પોલીસે મધ્ય મુંબઇના એન.એમ. જોશી પોલીસ થાણામાં અર્નબ ગોસ્વામી, તેમની પત્ની સામ્યાબ્રતા રે ગોસ્વામી અને દીકરા વિરુદ્ધ પ્રાથમિક નોંધ કરી છે.

પોલીસનો આરોપ છે કે ચાર નવેમ્બરના જ્યારે તે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા પહોંચી તો દંપતીએ મહિલા અધિકારી પર હુમલો કર્યો. અર્નબ ગોસ્વામી અને તેમની પત્નીએ આ મામલે અગ્રિમ જામીન માટે અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો : અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની (Arnab Goswami) મુંબઇ પોલીસે ગત બુધવારે એટલે કે ચાર નવેમ્બરે સવારે તેમના ઘરે જઈને ઘરપકડ કરી હતી. ત્યારબાદ મુબંઈ હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આજે અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

mumbai mumbai news