24 September, 2021 10:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે. ફાઇલ ફોટો
મહારાષ્ટ્રમાં નવરાત્રિના પહેલા દિવસે 7 ઑક્ટોબરથી તમામ ધાર્મિક સ્થળો ફરી ભક્તો માટે શરૂ કરાશે. મુખ્યમંત્રી કાર્યાલયે આજે સાંજે ટ્વિટ કરી આઅ માહિતી આપી છે. ધાર્મિક સ્થળોએ તમામ કોવિડ-19 સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવશે.
મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરી કહ્યું હતું કે “તમામ કોવિડ સલામતી પ્રોટોકોલનું નિરીક્ષણ કરી નવરાત્રિના પ્રથમ દિવસ એટલે કે 7 ઓક્ટોબર 2021થી ભક્તો માટે તમામ દેવ સ્થાનો ફરી ખૂલશે.”
મહારાષ્ટ્ર સરકાર ભાજપ દ્વારા મંદિરો ન ખોલવાના વિરોધનો સામનો કરી રહી હતી, જે મહામારીને કારણે બંધ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 4 ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાં ધોરણ 5થી 12ની શાળાઓ પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં 4 ઑક્ટોબરથી ખૂલશે શાળાઓ