મૈથિલી પાટીલની અંતિમયાત્રામાં ગામવાસીઓ સ્વયંભૂ જોડાયા, પરિવારજનો ભાંગી પડ્યા

18 June, 2025 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટ ઊપડતાં પહેલાં મૈથિલીએ તેના પિતા મોરેશ્વર પાટીલને પહોંચતાં જ ફોન કરવાનું વચન આપ્યું હતું. દીકરી આ રીતે તેમની પાસે પહોંચશે એવી કલ્પના તેમણે નહોતી કરી

અકસ્માતમાં જીવ ગુમાવનાર ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલનો મૃતદેહ મંગળવારે રાયગડમાં આવેલા ન્હાવા ગામ પહોંચ્યો

૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના અકસ્માતમાં જીવ ગુમાવનાર ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલનો મૃતદેહ મંગળવારે રાયગડમાં આવેલા ન્હાવા ગામ પહોંચ્યો હતો. ૨૩ વર્ષની જુવાનજોધ દીકરી ગુમાવ્યાનું દુ:ખ દરેક ગામવાસીના મોઢા પર દેખાતું હતું. ફ્લાઇટ ઊપડતાં પહેલાં મૈથિલીએ તેના પિતા મોરેશ્વર પાટીલને પહોંચતાં જ ફોન કરવાનું વચન આપ્યું હતું. દીકરી આ રીતે તેમની પાસે પહોંચશે એવી કલ્પના તેમણે નહોતી કરી. મૈથિલીના પરિવારજનોના હૈયાફાટ રુદન સાથે આખું ગામ ડૂસકે ચડ્યું હતું.

air india airlines news ahmedabad plane crash plane crash raigad mumbai news mumbai news