ઉત્સુક પક્ષપલટુઓને ‘યોગ્યતા મુજબ’ NCPમાં પાછા લેવાશે : જયંત પાટીલ

18 November, 2019 02:33 PM IST  |  Mumbai

ઉત્સુક પક્ષપલટુઓને ‘યોગ્યતા મુજબ’ NCPમાં પાછા લેવાશે : જયંત પાટીલ

જયંત પાટીલ

એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂર્વે અમારો પક્ષ છોડી જનારા વિધાનસભ્યોને ફક્ત ‘યોગ્યતા મુજબ’ પક્ષમાં પાછા લેવામાં આવશે. આડેધડ પાછા પ્રવેશ આપવાનો મેગાભરતી મેળો કરવામાં નહીં આવે, કારણ કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે એનસીપી છોડીને બીજેપીમાં જોડાયેલા ઘણા વિધાનસભ્યો પક્ષના સંપર્કમાં છે.’

પુણેમાં એનસીપીના પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને પક્ષની કોર કમિટીની મીટિંગ બાદ પત્રકારો સાથે વાતચીતમાં જયંત પાટીલે જણાવ્યું હતું કે ‘રાજકીય આગેવાનો અને કાર્યકરોને પક્ષમાં પાછા સામેલ કરતી વેળા અન્ય બાબતોનો પણ ખ્યાલ રાખવાનો રહેશે. દરેક મતક્ષેત્રમાં જે યુવાન નેતાઓ નિષ્ઠાપૂર્વક પક્ષની પડખે રહ્યા છે, તેમનો ખ્યાલ રાખવો જરૂરી છે.’

mumbai news shiv sena nationalist congress party