26 July, 2019 11:37 AM IST | મુંબઈ
છગન ભૂજબળ
એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે તેઓ મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ શિવસેનામાં જોડાઈ શકે છે એવું અનુમાન લગાવી રહેલા અખબારી અહેવાલોનું ગુરુવારે ખંડન કર્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ અહેવાલમાં કોઈ તથ્ય નથી. અહીં એક ડૅમના ‘જળપૂજન’ કાર્યક્રમ દરમ્યાન ભુજબળે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માધ્યમોના અહેવાલો તથા સોશ્યલ મીડિયાની પોસ્ટમાં કોઈ તથ્ય નથી. આથી હું તમને (માધ્યમોને) આવા અહેવાલોનો અંત આણવાની વિનંતી કરું છું.
એનસીપીના મુંબઈ એકમના વડા સચિન આહીર ગુરુવારે શિવસેનામાં જોડાયા ત્યાર બાદ ભુજબળ સેનામાં જોડાશે એવી અટકળોએ વેગ પકડ્યો હતો.ઉલ્લેખનીય છે કે શિવસેનાનાં પ્રારંભિક વર્ષોમાં ભુજબળ એના ચાવીરૂપ નેતાઓ પૈકીના એક હતા.૧૯૯૧માં સેના સાથે છેડો ફાડીને તેઓ કૉન્ગ્રેનસમાં જોડાયા હતા અને ત્યાર બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે જ્યારે ૧૯૯૯માં એનસીપીની સ્થાપના કરી ત્યારે તેઓ તેમની સાથે જોડાયા હતા.