નવી મુંબઈમાં બસનું ટાયર ફાટતાં છને ઈજા

17 December, 2020 10:54 AM IST  |  New Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં બસનું ટાયર ફાટતાં છને ઈજા

નવી મુંબઈના ખારઘર ખાતે બુધવારે બસનું ટાયર ફાટતાં બસ રોડ પરથી ઊતરી ગઈ હતી, જેને પગલે એમાં સવાર છ વ્યક્તિને ઈજા પહોંચી હતી.

એક ખાનગી બસ મહારાષ્ટ્રના જાલનાથી મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે સાયન-પનવેલ હાઇવે પર સવારે આશરે ૬.૩૦ વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી, એમ ખારઘર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

જ્યારે બસ ખારઘર પહોંચી ત્યારે તેનું એક ટાયર ફાટ્યું હતું, પરિણામે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બસ માર્ગ પરથી ઊતરી ગઈ હતી.

આ અકસ્માતમાં છ વ્યક્તિને ઈજા થઈ હતી અને તેમને હૉસ્પિટલ ખસેડાયા હતા. તમામની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news navi mumbai kharghar panvel