ઘાટકોપર અને કુર્લાના અનેક વિસ્તારોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

26 April, 2025 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ઘાટકોપર-વેસ્ટમાં સંત તુકારામ બ્રિજ નજીક ૧૫૦૦ મિલીમીટર વ્યાસની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં વાલ્વ ઇન્સ્ટૉલ કરવા તેમ જ ઘાટકોપરના હાઈ લેવલ જળાશયનો ઇનલેટ વાલ્વ ઇન્સ્ટૉલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એને કારણે શનિવારે સવારે ૧૦ વાગ્યાથી ૨૪ કલાક માટે ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

ghatkopar kurla news mumbai mumbai news Water Cut mumbai water levels brihanmumbai municipal corporation