યુનાઇટેડ નેશન્સના રિપોર્ટમાં ખુલાસો

31 July, 2025 07:48 AM IST  |  New york | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના દબાણ હેઠળ UNSCના નિવેદનમાંથી TRFનું નામ હટાવાયું

યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ

યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC)ના તાજેતરના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની બે વાર જવાબદારી લીધી હતી. TRFએ હુમલા પછી તરત જ ઘટનાસ્થળની તસવીર પણ જાહેર કરી હતી. આ હુમલામાં ૨૬ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે પાકિસ્તાનના દબાણ બાદ આ સંગઠનનું નામ હટાવવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના દબાણ હેઠળ UNSCના નિવેદનમાંથી TRFનું નામ દૂર કરવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો પાંચ આતંકવાદીઓએ કર્યો હતો. UN રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબા (LeT)ના સહયોગ વિના આ હુમલો શક્ય નહોતો.

આ રિપોર્ટમાં એક સભ્ય દેશને ટાંકીને કહેવામાં આવ્યું છે કે TRF અને LeT વચ્ચે ગાઢ સંબંધો છે, જ્યારે કેટલાક દેશોએ દાવો કર્યો છે કે TRF લશ્કરનું બીજું નામ છે. અમેરિકાએ આ મહિને TRFને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. હુમલા પછી UNSCએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ગુનેગારોને સજા મળવી જોઈએ.

new york united states of america united kingdom russia pakistan india Pahalgam Terror Attack terror attack s jaishankar lashkar-e-taiba jammu and kashmir international news news world news