આજે અમિત શાહ ગુજરાતમાં, રવિવારે સોમનાથ મહાદેવનાં કરશે દર્શન

19 October, 2019 12:04 PM IST  |  અમદાવાદ

આજે અમિત શાહ ગુજરાતમાં, રવિવારે સોમનાથ મહાદેવનાં કરશે દર્શન

અમિત શાહ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પુરો કરીને અમિત શાહ સાંજે કેશોદ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ રવિવારે સવારે સોમનાથ મહાદેવના દર્શને જવાના છે. સોમનાથમાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે. બાદમાં તેઓ અમદાવાદ જવા રવાના થશે.

અમિત શાહનો 22 ઑક્ટોબરે જન્મદિવસ છે. જે પહેલા તેઓ સોમનાથ દર્શન કરશે. સાથે જ અમદાવાદમાં તેઓ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. શાહ તેમનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવવાના મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ ગુજરાત આવશે અને સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યાર બાદ તેઓ અમદાવાદમાં કાર્યક્રમોમાં ભાગ લેશે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં યોજાશે કાર્યક્રમો
અમદાવાદના ગોતામાં અમિત શાહના જન્મદિવસે અલગ-અલગ કાર્યક્રમો તથા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. સાથે 10 હજાર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવાનો સમારોહ પણ યોજાશે.લાભાર્થીઓને મા અમૃતમ, વિધવા તથા વૃદ્ધોને સહાય પેન્શન, દિવ્યાંગોને સહાય કિટનું વિતરણ કરવામાં આવશે. જન્મદિવસે અમિત શાહ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની 200મી શાખાનું ઉદ્ધાટન કરશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ફરી વરસાદની દસ્તક, જાણો ક્યાં છે વરસાદની આગાહી?

શાહના જન્મદિવસે ખાસ કાર્યક્રમ

અમિત શાહના જન્મદિવસે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આ સમયે ઉઝબેકિસ્તાનની યાત્રાએ છે. એટલે નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જોરશોરથી અમિત શાહના જન્મદિવસની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે.

amit shah Gujarat BJP